ગીતા,ગીતા,ને ગીતા
જ્ઞાન પામવાની કોશિષ,વાપરી અલ્પ બુધ્ધિ
સ્વીકારવું રહ્યું,રહેવાની અનેકાનેક અશુધ્ધી
અદ્વૈત,સન્યાસ,ત્યાગ,યોગ,એના પાયા ચાર
પ્રાર્થું અદ્વૈતને,રજુ કરી શકું સારાસારા વિચાર
ઉંડાણથી સાચા સમજો આ પાયા ચારેચાર
આચરણ કરી જુઓ એનું,જુઓ થતા ફેરફાર
વિનવું દરેક વ્યક્તિને,સમજીને પચાવો ગીતા
નથી કહેવાયું ? સિકંદર તો વોહી જો જીતા
પ્રશ્નો તો આવવાના,ડગલે અને પગલે દરેક
ઉકેલ મળી રહેશે જ,વાપરો, બુધ્ધિ વિવેક
દિપક,ખુદ શરૂઆત કરી? હા,આજકાલથી
મિત્રો જાણે,વાત નથી કરતો અમથી અમથી
દિપક ઠોકીયા 20-9-2021
હાઈકુ :-
જીવન રાહ,
ગીતા,ગીતા ને ગીતા
માનવી જીતા